જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે તમામ રાજ્યોની સરહદો સીલ કરવામાં આવી છે. ત્યારે 300 જેટલા ગુજરાતીઓ યુપીના અલગ-અલગ વિસ્તારમાં, મથુરા, વૃંદાવન અને ગોકુળમાં, ફસાયા હતા. ત્યારે મુસાફરોની રજૂઆત બાદ આનંદીબેને મદદ કરીને શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશથી રવાના કરી દેવામાં આવ્યા છે અને તે મંગળવાર સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે. જ્યારે ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કોરોના સંકટના સમયમાં ગુજરાતીઓના વાહરે આવ્યા હતા.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ